ભારતમાં કોમવાદી તોફાનો કરાવવાનો પાકિસ્તાનનો કારસો નિષ્ફળ
કાશ્મીરીઓ તો પાકિસ્તાનની મુરાદ - કાશ્મીરને
લૂંટવાની - અત્યાચાર કરવાની - પારખી ગયા છે. ભારતને નુકસાન, પાયમાલ કરવા માટે બૉમ્બ
હુમલા થયા અને પંજાબમાં જર્નાઇલસિંઘ ભીંડરણવાલાનો ઉપયોગ કર્યો. જોકે, ઇન્દિરા ગાંધીએ
અકાલી દળને અંકુશમાં લેવા, પડકારવા માટે ભીંડરણવાલાને ઊભો કર્યા પછી પાકિસ્તાને લાભ
ઉઠાવ્યો અને ભારતથી અલગ થવાની માગણી હિન્દુ - દુશ્મની બની ગઈ
હેલગામમાં પર્યટકો - હિન્દુઓ ઉપર પાકિસ્તાની
આતંકવાદી હુમલો અને હત્યાઓ શા માટે થઈ? આઝાદી અને ભારતના ભાગલા પછી કાશ્મીર ઉપર કબજો
જમાવવા, ખૂંચવીને પાકિસ્તાનમાં ભેળવી દેવાનું સપનું તો ક્યારનું રોળાઈ ગયું છે. વારંવાર
લડાઈ કરીને પાકિસ્તાની શાસકો અને લશ્કરે નાક કપાવ્યાં છે. તેથી ઇસ્લામ ખતરે મેં હૈ-નું
સૂત્ર શરૂ થયું પણ હવે હિન્દુઓને જ દુશ્મન ગણીને હુમલા થઈ રહ્યા છે. પાકિસ્તાની જાસૂસી
એજન્સી આઈએસઆઈ ભારતને તોડવાના પ્રયાસ કરે છે! પાકિસ્તાની લશ્કરના વડા અસીમ મુનીરે સોળમી
એપ્રિલે એમની બાજીનાં પત્તાં જાહેરમાં ખોલી નાખ્યાં: ભારતના ભાગલ ધર્મના આધારે થયા
છે. આ ટૂ નેશન થિયરીનો છેદ 1971-72માં બાંગ્લાદેશમાં ઊડી ગયો. પશ્ચિમ પાકિસ્તાનની જોહુકમી
અને જુલમ સામે પૂર્વ પાકિસ્તાનના મુસ્લિમોએ બળવો કર્યો અને ભારતની મદદથી બાંગ્લાદેશનો
જન્મ થયો. ભારતે ધર્મના આધારે અલગ રાષ્ટ્ર - ટૂ નેશનની થિયરી ખોટી ઠરાવી. આ ઘાવ પાકિસ્તાનને
છાતી અને દિમાગ સોંસરવો લાગ્યો હતો અને આખરે બાંગ્લાદેશના રાજકીય નેતાઓ સામેના અસંતોષના
કારણે પાકિસ્તાને સત્તાપલટો કરાવ્યો અને કહ્યું હવે એક નહીં, બે પાકિસ્તાન ભારત સામે
છે!
પાકિસ્તાની લશ્કરના જનરલ મુનીર મોહમ્મદ
અલી ઝિણાનો નવો અવતાર બનીને હીરો બનવા માગે છે તેથી ટૂ-નેશન થિયરીનું રટણ કરીને ભારતને
તોડવાના સપના જોઈ રહ્યા છે! પણ બલૂચિસ્તાન - સિંધમાં મુસ્લિમ બહુમતી હોવા છતાં ઇસ્લામાબાદ
સામે લોકો જંગે ચડયા છે અને અલગ થવાની માગણી કરી રહ્યા છે. ટૂ નેશનમાંથી કેટલા થશે?
ત્રણ, ચાર? અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર વિસ્તારમાં તો `પંજાબી પાકિસ્તાન સામે
બળવો જ છે.'
બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમ થઈ તેની
પાછળ પણ પાકિસ્તાન છે. ભારતમાં હિન્દુ પ્રજા અને હિન્દુ શાસકો વિરુદ્ધ હિંસા ભડકાવવાનો
પ્લાન પણ નવો - આજકાલનો નથી. બાબરીની ઘટના, સાબરમતી આશ્રમ ટ્રેનમાં આગની ઘટના પહેલાં
જ હિન્દુ ઉપર હુમલા અને હત્યાઓ થઈ છે. મુંબઈમાં સિરિયલ બૉમ્બ ધડાકા, દરિયામાંથી ઘૂસી
આવેલા આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોની કરેલી કત્લેઆમ - કાશ્મીર લેવા માટે ન હતી પણ હિન્દુઓની
કતલ કરવા માટે હતી. વેરની વસૂલાત માટે હતી.
હિન્દુઓની હત્યા અને મંદિરો, યાત્રા અને
પર્યટકો ઉપર હુમલા કરીને ભારતમાં હિન્દુઓને ઉશ્કેરવાના પ્રયાસ નિષ્ફળ ગયા છે. મુનીરનું
સપનું આપણા મુંગેરી લાલના હસીન સપના જેવું છે - 1947ના ભાગલા વખતે કોમી રમખાણ અને કત્લેઆમ
થઈ હતી તેની યાદ અને `ઍકશન રિપ્લે' કરવા માગે છે! પણ યોગ્ય જવાબ મળી ગયો છે - ઓવૈસી
કહે છે - ઉનકે ઘર મેં ઘૂસો ઔર બૈઠ જાઓ - અડ્ડા જમાવો... જાવેદ અખ્તર પણ કહે છે:
કાશ્મીરીઓ તો પાકિસ્તાનની મુરાદ - કાશ્મીરને
લૂંટવાની - અત્યાચાર કરવાની - પારખી ગયા છે.
ભારતને નુકસાન, પાયમાલ કરવા માટે બૉમ્બ
હુમલા થયા અને પંજાબમાં જર્નાઇલસિંઘ ભીંડરણવાલાનો ઉપયોગ કર્યો. જોકે, ઇન્દિરા ગાંધીએ
અકાલી દળને અંકુશમાં લેવા, પડકારવા માટે ભીંડરણવાલાને ઊભો કર્યા પછી પાકિસ્તાને લાભ
ઉઠાવ્યો અને ભારતથી અલગ થવાની માગણી હિન્દુ - દુશ્મની બની ગઈ. હિન્દુ - વિરોધી લડત
અને હિંસાચારમાં કેટલા હિન્દુ મર્યા તેના આંકડા ચોંકાવનારા છે. ગુજરાતના અક્ષરધામ મંદિર
ઉપર આતંકવાદી આક્રમણ - વર્ષ 2002માં 33 હિન્દુના જાન લેવાયા.
દેશના ખૂણેખૂણે હિન્દુઓ ઉપર હુમલા થયા
છે. કૃષિ કાયદા સુધારા વખતે પંજાબના કિસાનોએ દિલ્હી ઉપર `આક્રમણ' કર્યું તેમાં વિદેશીઓ
જોડાયા હતા. મુસ્લિમ - શીખ ભાઈભાઈનાં સૂત્રો ગાજયાં અને મોદી વિરોધી ભાષણો થયાં, હોર્ડિંગ
લાગ્યા. લાલકિલ્લા ઉપરથી તિરંગો ફગાવીને અલગ ઝંડો ફરકાવાયો - છતાં મોદીએ પોલીસને સૂચના
આપી હતી કે લાઠીચાર્જ પણ નહીં. પંજાબમાં ફરીથી ભીંડરણવાલા ઊભા થાય નહીં તેની આ સાવધાની
હતી. નાગરિકત્વ ધારાના સુધારા વિરોધી આંદોલન અને તોફાન-હુલ્લડ પણ થયાં. હિન્દુઓની હત્યા
થઈ પણ કોમવાદી હિંસા પ્રસરે તે પહેલાં સ્થિતિ કાબૂમાં લેવામાં આવી.
અયોધ્યામાં ભવ્ય - દિવ્ય રામમંદિર નિર્માણ,
પ્રયાગરાજમાં સનાતન સમુદ્ર, વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પરિસરનું નવ નિર્માણ -
આવા ધાર્મિક પ્રસંગોની ઘટમાળમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનતું હોવા સામે વેરવૃત્તિ વધતી
ગઈ. મોદીએ તીન તલાકમાં રાહત આપ્યા પછી મુસ્લિમ મહિલાઓની ખુશી અને પાસમંદા - પછાત મુસ્લિમોના
લાભાર્થે લેવાતાં પગલાં - સબ કા સાથ અને વિશ્વાસ, સબ કા વિકાસના ફળ મળવાં લાગ્યાં ત્યારે
સ્થાપિત હિતો અને પાકિસ્તાનને ડર લાગ્યો કે પગ નીચેથી ધરતી ખસકી રહી છે.
અવિશ્વાસનું વાતાવરણ હતું તેવામાં વક્ફ
કાનૂનમાં સુધારા - ખરડાનો વિવાદ શરૂ થયો. વિવાદ પ્રૉપર્ટી માટે છે - ધર્મ - મઝહબમાં
દખલ નથી - પણ દેશભરમાં સરકાર સામે દેખાવો - વિરોધ શરૂ થયો. પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચારથી
ધ્યાન હટાવવા મુર્શિદાબાદમાં હિન્દુ વિરોધી હુલ્લડ થયાં.
કૉંગ્રેસ અને અન્ય વિપક્ષોએ મુસ્લિમ વોટ
બૅન્કમાં ખાતાં સલામત રાખવા રાજકારણ શરૂ કર્યું. દેશભરમાં રાજકીય વિરોધમાં - હિન્દુ
- મુસ્લિમ સામસામે આવી ગયા હોય એવાં દૃશ્ય શરૂ થયાં ત્યારે પાકિસ્તાનને નવી આશા જાગી
કે હવે સમય પાક્યો છે તેથી આતંકવાદી હુમલા શરૂ કરવાનો પ્લાન અમલમાં મૂક્યો. આ માટે
કાશ્મીરમાં મોકળું મેદાન મળ્યું. કાશ્મીર પસંદ કરવા માટે નિશાના ઉપર હિન્દુ પર્યટકો
હતા.
અસીમ મુનીરનો આદેશ, જાહેર સભામાં મળ્યો
હતો - હિન્દુઓ આપણાથી અલગ છે - કાફીર છે. અલ્લાહ તાલાએ પાકિસ્તાન આપ્યું છે - વગેરે.
આ શબ્દો આતંકવાદીઓ માટે આદેશ હતા તેથી પર્યટકોનાં નામ અને ધર્મ પૂછીને ઠાર કરવામાં
આવ્યા. પાકિસ્તાનની ગણતરી એવી હતી કે ભારતમાં લઘુમતી - મુસ્લિમો સામે હવે હિન્દુ -
કોમવાદી હુલ્લડો થશે, દેશભરમાં ફેલાશે અને ભારત વિશ્વમાં બરબાદ - બદનામ થશે. ચીનની
ગણતરી અને આશા હશે કે ભારતને ઔદ્યોગિક મૂડીરોકાણ નહીં મળે. પાંચ ટ્રિલિયન ઇકોનોમીનું
સ્વપ્ન રોળાશે...
પણ પાકિસ્તાનનું આ સ્વપ્ન પણ રોળાઈ રહ્યું
છે! ભારતમાં રાજકીય પક્ષોએ મોદી સરકારને સમર્થન આપીને `એકતા - યુનાઇટેડ ફ્રન્ટ'ની ખાતરી
આપી છે. ભૂતકાળમાં દરેક વખતે કૉંગ્રેસે ભારત સરકાર અને ભારતીય સેનાની સિદ્ધિ - સફળતા
સામે શંકાની આંગળી ઊંચી કરી હતી. આ વખતે આપણી એજન્સીઓની કચાશ, આતંકવાદી પ્લાન પકડવામાં
નિષ્ફળતાની ટીકા કરી છે અને સરકારે તે સ્વીકારી પણ છે. તેથી ભારત સરકાર જે નિર્ણય કરે
તેને સંપૂર્ણ સમર્થનની જાહેરાત કરી છે. રાજકીય મોરચાની એકતાથી પણ વધુ મહત્ત્વની - મજબૂત
એકતા મુસ્લિમ નેતાઓએ બતાવી છે. નેતાઓ ઉપરાંત આમઆદમી પણ પાકિસ્તાનને ખતમ કરવાની માગણી
કરે છે.
ભાજપ અને હિન્દુ નેતાઓએ પણ ભારતના મુસ્લિમોને
દોષ આપ્યો નથી. ઉશ્કેરણી કરી નથી. વડા પ્રધાન મોદીએ બિહારની જાહેર સભામાં આતંકવાદીઓ
અને તેના `આકા'ને પાતાળમાંથી શોધીને સજા કરવાની ઘોષણા કરી પણ પહેલગામમાં `પર્યટકો'ની
હત્યા થઈ એમ કહ્યું પણ `િહન્દુ' ઓળખ વાપરી નથી. આતંકવાદી પાકિસ્તાનની ગૅમ નિષ્ફળ કરવા
માટે આ જરૂરી હતું. સંઘ પરિવારના મોવડીઓ ભાગવત અને દત્તાત્રય હાસબલે પણ `પર્યટકો' શબ્દ
વાપર્યો તે યોગ્ય હતું. અલબત્ત, આમજનતાનો આક્રોશ સોશિયલ મીડિયામાં વ્યક્ત થયો કે જાતિ-ધર્મ
પૂછીને ખરીદી કરો - પણ આંદોલનનું સ્વરૂપ થયું નહીં.
ઓવૈસીએ તો પાકિસ્તાની આતંકવાદીઓ માટે કુત્તે,
કમીને - હરામઝાદે જેવા વિશેષણ વાપરીને યુવા-મુસ્લિમ યુવા વર્ગને સ્પષ્ટ સંદેશ આપ્યો
છે.
રાજકીય એકતા મોરચાથી વધુ મજબૂત મોરચો
- હિન્દુ - મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ છે : પાકિસ્તાનને આ જવાબ છે, પડકાર છે.