• શુક્રવાર, 03 મે, 2024

છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા ભાજપ નેતાની હત્યા

કોમલ માંઝીની ક્રૂર હત્યાથી ચકચાર

જગદલપુર, તા. 9 : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નકસલવાદીઓએ ભાજપના નેતા કોમલ માંઝીની ગળા પર પ્રહાર કરીને નિર્મલ હત્યા કરી નાખતાં ભારે ચકચાર ફેલાઈ હતી. સવારે મંદિરથી પાછા ફરતા હતા ત્યારે કેસરિયા પક્ષના નેતાને નકસલીઓએ પકડી લીધા હતા અને ગળું કાપી નાખ્યું હતું.

જંગલમાં લઈ જઈને હત્યા કર્યા બાદ ચારથી પાંચ નકસલવાદીએ કોમલ માંઝીનો મૃતદેહ ગામમાં ફેંકી દીધો હતો. આ હિંસક કૃત્ય કર્યા પછી નકસલીઓ જંગલમાં નાસી ગયા હતા. માંઝી આમદઈ ખાણની દલાલી કરતા હતા, તેમને રોકવા છતાં ન માન્યા હોવાથી હત્યા કરી છે, તેવું નકસલીઓએ મૃતદેહ સાથે ફેંકેલા પત્રમાં લખ્યું હતું.