• રવિવાર, 08 માર્ચ, 2026

જૈન મરણ

કવીઓ જૈન

ડુમરાના મણીબેન નાગડા (ઉં. 76) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે બાયાંબાઇ દેવરાજ નાગડાના પુત્રવધુ. દામજીના પત્ની. અજય, લીના, ભાવેશના માતા. જેતબાઈ વસનજી હરશી સાવલાના પુત્રી. લક્ષ્મી, પ્રવીણ, ઝવેર, મહેન્દ્ર, કિશોરના બેન. પ્રા.: કરસન લધુ હોલ, દાદર (પ.). સાંજે 4થી 5.30. 

 

દેશલપુર-કંઠીના મોહનભાઈ સોની (ઉં. 77) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે મણીબેન પ્રેમજી ચાંપશીના પુત્ર. મીનાબેનના પતિ. મિલનના પિતા. પોપટભાઈ (પ્રવિણભાઈ), સ્વ. અમૃતબેન, ઈલાબેન, રંજનબેનના ભાઈ. ભાણબાઈ ડુંગરશી મુરજી શેઠીયાના જમાઈ. પ્રા.: યોગી સભાગૃહ, દાદર. 4થી 5.30. 

 

વીસા શ્રીમાળી જૈન  

પાટણના સ્વ. હસમુખલાલ મણિલાલ ગભરૂચંદ શાહના પત્ની ગં.સ્વ. રશ્મિકાબેન (ઉં. 84) 6ઠ્ઠીએ અરિહંતશરણ થયા છે. નિર્મલાબન શાંતિલાલ ચંદુલાલ શાહના પુત્રી. ભદ્રાબેન, જ્યોતીબેન, મિતાબેન, દિપકભાઈ, નલિનભાઇના બેન. ભાવેશ, ધર્મેશના માતા. ઈના, રક્ષાના સાસુ. લૌ. વ્ય. બંધ છે. ઠે.: એ/302, વાલચંદ આશીષ, આય.ડી.બી. આય બેન્કની બાજુમાં, 150 ફિટ રોડ. ભાયંદર (પ.). 

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન 

 મહુવાના નાનચંદ પ્રેમચંદ રવાસાના પુત્ર તનસુખલાલ (ઉં. 87) 6ઠ્ઠીના રોજ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. પુષ્પાબેનના પતિ. સંજય, ભાવેન, પીયૂષના પિતા. પ્રીતિ, કૃપા, પાયલના સસરા. સ્વ. બાબુલાલ, સ્વ. મણિલાલ, સ્વ. ખાંતિલાલ, સ્વ. હીરાબેન મહેતા, સ્વ. વેણીબેન શાહ, સ્વ. ઈન્દુબેન મહેતાના ભાઈ. શ્વશુર પક્ષે ચુનીલાલ લાલચંદ શાહના જમાઈ. લૌ. વ્ય. તથા સાદડી બંધ છે. 

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન  

દાઠાના સ્વ. કીર્તિભાઇ નગીનદાસ શાહના પત્ની જ્યોત્સનાબેન (ઉં. 69) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ધીરજલાલ હીરાચંદ ગાંધીના દીકરી. નિહિર, ફોરમના માતા. બીજલ રિપૂણ રૂપાણી, સોહીલકુમાર ભરત મહેતાના સાસુ. આરવ, ઝિયાના બા. લૌ. વ્ય. બંધ છે.  

 

દશા શ્રીમાળી દેરાવાસી જૈન  

ધોરાજીના મીનાબહેન (માયા) શેઠ (ઉં. 74) 5મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. નગીનદાસ તારાચંદ શેઠના પુત્રવધુ. સ્વ. ભગવાનજીભાઈ જગજીવનદાસ મહેતાના પુત્રી. સ્વ.અનિલના પત્ની. સ્વ. પ્રકાશભાઈ, અરુણભાઈ, પંકજભાઈ, ચંદ્રિકાબેનના બેન. કોમલ કુમારપાળ શાહના માતા. સ્વ. સુમનભાઈ, વિનોદભાઈ, હર્ષદભાઈ, પ્રફુલભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. સુશીલાબેન, ઇન્દુબેન, સ્વ. જ્યોત્સનાબેન, રીટાબેન, જયશ્રીબેનના ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશા શ્રીમાળી (જૈન)

ભાવનગરના સ્વ. પ્રતાપરાય ચત્રભુજ સંઘવીનાં પત્ની. સ્વ. કમળાબેન છોટાલાલ ઉત્તમચંદ શાહના પુત્રી. હીરાબેન (ઉં. 95). તે નીલાબેનના માતા. મુકેશભાઇના સાસુ. ધ્રુવિકા પારસ શાહ, આદિત્યનાં નાની તા. 6ઠ્ઠીના શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. 

 

સુરત વીસા ઓસવાલ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક

નમ્રતા જવેરી (ઉં. 41) તે સ્વ. પ્રતિભાબેન તથા સ્વ. સૂર્યકાંત અભેચંદ જવેરીના પુત્રી. જાશ્મીન સમીર જવેરી, હેતા વિશાલ કોઠારીનાં બેન, કવીશ, કાશ્વીના માસી. 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.