• મંગળવાર, 14 મે, 2024

ભારત-દક્ષિણ આફ્રિકા મૅચની ટિકિટ ન મળતાં દેખાવો

કોલકાતા, તા. 4 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશ્વકપના લીગ મેચની ટિકિટ ન મળવાના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં અને બંગાળ ક્રિકેટ સંઘના આજીવન સભ્યોમાં રોષ ફેલાયો છે અને શુક્રવારે ઈડન ગાર્ડન બહાર પ્રદર્શન કર્યું હતું. આ વિશ્વકપમાં ઈડન ગાર્ડન ઉપર ભારતીય ટીમનો એક માત્ર મેચ પાંચમી નવેમ્બરે રમાવાનો છે. ભારતનો સેમીફાઈનલ મેચ કોલકાતામાં થશે જો સામે પાકિસ્તાન આવશે. બીજી તરફ પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની સંભાવના ઓછી છે. તેવામાં અંદાજિત 65,000 પ્રેક્ષકોની ક્ષમતાના સ્ટેડિયમમાં ટિકિટને લઈને ભોર પડાપડી થઈ રહી હતી. મેચ વિરાટ કોહલીના જન્મદિવસે પણ હોવાથી ભારે ઉત્સકુતા જોવા મળી રહી છે. ટિકિટની માગને લઈને ઈડન ગાર્ડન બહાર અંદાજિત 100 લોકોએ પ્રદર્શન કર્યું હતું. જેમાં છાત્ર, મહિલાઓ, બાળકો અને કેબના આજીવન સભ્યો સામેલ હતા. 

કેબના આજીવન સભ્યોને મેચની નિ:શુલ્ક ટિકિટ મળે છે. જો કે આ વખતે માગ વધારે હોવાથી ટિકિટ મળી શકી નથી. તેવામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.