• ગુરુવાર, 16 મે, 2024

શું હજુય તમારા દેશમાં સાપ-સપેરા, જાદૂટોણાં થાય છે?  

વડા પ્રધાન મોદીનો અદ્ભુત જવાબ

નવી દિલ્હી, તા. 9 : વડાપ્રધાન મોદીને એક સવાલ પૂછવામાં આવ્યો જેનો તેમણે જે જવાબ આપ્યો તે અદ્ભુત હતો. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ ક્રિએટર્સ એવોર્ડ સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદીએ એક કિસ્સો સંભળાવ્યો. તેમણે કહ્યંy કે હું કોઈ એક દેશમાં ગયો હતો ત્યારે એક દુભાષિયો મારી સાથે હતો. તે કોમ્પ્યુટર એન્જિનિયર હતો. ત્રણ-ચાર દિવસ સાથે રહ્યો હતો અને છેલ્લે તેણે મને પૂછયું કે શું હજૂય તમારા દેશમાં સાપ-સપેરા, જાદૂ-ટોણા થાય છે શું?