અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : ભારત અને શ્રીલંકા વચ્ચે આવતી કાલે વનડે ક્રિકેટ મૅચ રમવાની છે. એમાં `િહટમૅન'ના ઉપનામથી જાણીતા રોહિત શર્માને મહત્ત્વનો વિક્રમ કરવા હવે માત્ર એક જ રનની આવશ્યક્તા છે. તેઓ તે વિક્રમ સુધી પહોંચે છે કે કેમ તે આવતી કાલે જોવા મળશે. અગાઉની બંને મૅચ જીતીને ભારતે વનડે શ્રેણી જીતી લીધી છે. તેથી આજની મૅચ ઔપચારિક છે પરંતુ રોહિત શર્મા જીતેલી મૅચોમાં 12,000 કે તેથી વધુ રન બનાવનારા ત્રીજા ભારતીય બૅટ્સમૅન બનવાના વિક્રમથી ફક્ત એક જ રનના છેટે છે. તેઓ 11,999 રન બનાવીને યોગદાન આપી ચૂક્યા છે. આ યાદીમાં ટોચના સ્થાને દંતકથા સમાન બૅટ્સમૅન સચીન તેંડુલકર છે. તેઓ પોતાની કારકિર્દીમાં 17,113 રન ફટકારી ચૂક્યા છે. આક્રમક બૅટ્સમૅન વિરાટ કોહલી 16,119 રન સાથે `િદ્વતીય સ્થાને' છે. ટીમ ઈન્ડિયાના `હેડ કોચ' અને ભૂતપૂર્વ બૅટ્સમૅન રાહુલ દ્રવિડ 10,860 સાથે ચોથા સ્થાને છે.
ત્રણ મૅચોની શ્રેણીમાં ભારત બે વિરુદ્ધ શૂન્ય રનની સરસાઈ ધરાવે છે. તેથી આવતી કાલની મૅચ હાર કે જીતથી ભારતને ફરક નહીં પડે તેનું કારણ ભારતે વન ડે મૅચોની શ્રેણી અગાઉથી જીતી લીધેલી છે.
`અંગુઠા'ના ઈજામાંથી બહાર આવેલા રોહિત શર્મા આ પ્રથમ શ્રેણી રમી રહ્યા છે. ગુવાહાટીમાં શ્રીલંકા વિરુદ્ધની પ્રથમ મૅચમાં તેમણે 67 દડામાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદ વડે 83 રન કર્યા હતા. કોલકાતામાં રમાયેલી બીજી એક દિવસીય મૅચમાં તેમણે 21 દડામાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 17 રન કર્યા હતા.